ઑગસ્ટ ૨૪-૩૦
યર્મિયા ૨૯-૩૦
ગીત ૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. યહોવા જેટલી જરૂરી હોય એટલી જ શિસ્ત આપે છે
(૧૦ મિ.)
યહોવાએ કહ્યું કે પસ્તાવો કરનાર યહૂદીઓ પૂરા દિલથી તેમનું માર્ગદર્શન શોધશે (યર્મિ ૨૯:૧૨, ૧૩; jr ૧૧૪ ¶૩-mwbr)
યહોવા પોતાના લોકોને પાછા તેઓના દેશમાં લાવશે (યર્મિ ૨૯:૧૪)
તેઓનો નાશ નહિ થાય, પણ “જેટલી જરૂરી છે એટલી” શિક્ષા થશે (યર્મિ ૩૦:૧૧; હિબ્રૂ ૧૨:૬; jr ૧૬૮ ¶૨-mwbr)
મનન માટે સવાલ: યહોવા શિસ્ત આપે ત્યારે આપણે શું કરવું જોઈએ?—w૨૨.૧૧ ૨૧ ¶૬.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
યર્મિ ૩૦:૧૧—શિસ્ત આપતી વખતે મમ્મી-પપ્પા કઈ રીતે યહોવાને અનુસરી શકે? (w૧૪ ૧૦/૧ ૧૧ ¶૭-૧૨ ¶૧-૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) યર્મિ ૩૦:૧-૧૧ (th અભ્યાસ ૨)
૪. વાત શરૂ કરો
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. સપ્ટેમ્બર મહિનાના ખાસ ઝુંબેશના વિષયથી વાત શરૂ કરો અને બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૩ મુદ્દો ૪)
૫. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. સપ્ટેમ્બર મહિનાના ખાસ ઝુંબેશના વિષયથી વાત શરૂ કરો. (lmd પાઠ ૧ મુદ્દો ૫)
૬. ટૉક
(૫ મિ.) ijwbv લેખ ૬—વિષય: યર્મિયા ૨૯:૧૧નો અર્થ શું થાય? (th અભ્યાસ ૧)
ગીત ૧૫૨
૭. યહોવા પોતાના ભક્તોને ભાવિની સોનેરી આશા આપે છે
(૧૦ મિ.) ચર્ચા.
યહૂદીઓ બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે યહોવાએ વચન આપ્યું હતું કે તેઓ એક દિવસે પોતાના વતન જરૂર પાછા ફરશે. (યર્મિ ૨૯:૧૦) એ સમયે તેઓનાં દુઃખ દૂર થઈ જશે. યહોવાએ આવાં ઘણાં વચનો આપ્યાં છે. એ વચનો પૂરાં થાય છે ત્યારે તેમના ભક્તોને ઘણી રાહત મળે છે. જોકે એ વચનો પૂરાં થાય એ પહેલાંથી તેઓને ભાવિની સોનેરી આશા મળે છે. એનાથી થતા અમુક ફાયદા પર ધ્યાન આપો:
ભાવિની આશા રાખવાથી આપણી તંદુરસ્તી પર સારી અસર પડે છે.—ની ૧૭:૨૨
ભાવિની આશા રાખવાથી આપણને નિરાશાનો સામનો કરવા મદદ મળે છે.—ની ૨૪:૧૦
આશાને લીધે આપણે મુશ્કેલીઓના તોફાનમાં પણ અડગ રહી શકીએ છીએ.—હિબ્રૂ ૬:૧૯
આખી દુનિયા સાચી શાંતિથી ભરપૂર થશે!—આશા ન છોડશો વીડિયો બતાવો. પછી પૂછો:
આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?
૮. સપ્ટેમ્બર મહિનામાં ખાસ ઝુંબેશ
(૫ મિ.) સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ માટે ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારો અને તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે જણાવો.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) wcg પ્રક. ૫