યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા સાથેના આપણા સંબંધને કીમતી ગણીએ
યહોવાના સાક્ષીઓને એક ખાસ લહાવો મળ્યો છે. આપણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે અને બાપ્તિસ્મા લીધું છે. એના લીધે આપણે યહોવા સાથે ખાસ સંબંધ કેળવી શક્યા છે. પોતાના દીકરા દ્વારા તે આપણને તેમની પાસે દોરી લાવ્યા છે. (યોહ ૬:૪૪) તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે.—ગી ૩૪:૧૫.
યહોવા સાથેના આ ખાસ સંબંધને આપણે કઈ રીતે સાચવી શકીએ? આપણે એવા ઇઝરાયેલીઓ જેવા ન બનીએ જેઓએ ખોટાં કામ કર્યા હતા. યહોવા સાથે કરાર કર્યો એના થોડા જ સમયમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું અને એની પૂજા કરવા લાગ્યા. (નિર્ગ ૩૨:૭, ૮; ૧કો ૧૦:૭, ૧૧, ૧૪) પોતાને પૂછો: “મારી સામે ખોટું કામ કરવાની લાલચ આવે ત્યારે હું શું કરું છું? શું મારાં કાર્યોથી દેખાય આવે છે કે હું યહોવા સાથેના મારા સંબંધને કીમતી ગણું છું?” જો આપણે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરતા હોઈશું, તો આપણે એવું કોઈ કામ નહિ કરીએ જેને તે ધિક્કારે છે.—ગી ૯૭:૧૦.
યહોવા સાથેના આપણા સંબંધને સાચવીએ (કોલો ૩:૫) વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
લાલચ એટલે શું?
આપણે શા માટે લાલચ અને મૂર્તિપૂજાથી દૂર રહેવું જોઈએ?
કઈ રીતે વ્યભિચાર અને મૂર્તિપૂજા એકબીજા સાથે જોડાયેલા છે?
જેઓ યહોવાના સંગઠનમાં જવાબદારી નિભાવે છે, તેઓએ ખાસ કરીને પોતાના જીવનસાથીની જરૂરિયાતોનું ધ્યાન કેમ રાખવું જોઈએ?