બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૩-૨૪
લોકોને પગલે ન ચાલો
પ્રાચીન સમયમાં યહોવાએ ઇઝરાયેલીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ લોકોની વાતોમાં આવીને જૂઠી સાક્ષી ન આપે કે ખોટો ન્યાય ન કરે. આપણે પણ એ ચેતવણીને જીવનના અલગ અલગ પાસાઓમાં લાગુ પાડી શકીએ. આજે દુનિયાના લોકો ચાહે છે કે આપણે તેઓની જેમ ખોટું વિચારીએ અને ખોટાં કામ કરીએ.—રોમ ૧૨:૨.
નીચે બતાવેલા સંજોગોમાં લોકોને પગલે કેમ ન ચાલવું જોઈએ?
તમે કોઈ અફવા સાંભળો ત્યારે
કપડાં, હેર-સ્ટાઇલ કે મનોરંજન પસંદ કરતી વખતે
અલગ અલગ જાતિ કે સમાજ અથવા ગરીબ કે ધનવાન લોકો સાથે વ્યવહાર કરતી વખતે