બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૨-૪૩
યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો
જ્યારે યુસફ તેમના ભાઈઓને મળ્યા, ત્યારે તેમને કેવું લાગ્યું? તેમનું દિલ ભરાય આવ્યું હશે. શું તેમણે ભાઈઓને પોતાની ઓળખ આપી? શું તે ભાઈઓને ભેટી પડ્યા કે બદલો લીધો? યુસફ લાગણીઓના વહેણમાં તણાઈ ગયા નહિ. જો તમારા કુટુંબના સભ્યો કે પછી બીજાઓ તમારી સાથે અન્યાય કરે તો તમે શું કરશો? બની શકે કે એવા સમયે આપણે આવેશમાં આવીને ખોટો નિર્ણય લઈએ. પણ યુસફના દાખલામાંથી શીખવા મળે છે કે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો જોઈએ. એટલું જ નહિ, ઉતાવળે કોઈ પગલું ન ભરવું જોઈએ.
અઘરા સંજોગો આવે ત્યારે કઈ રીતે તમે યુસફના પગલે ચાલી શકો?