યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યુસફ જેવા બનીએ—વ્યભિચારથી દૂર ભાગીએ
આપણી સામે વ્યભિચાર જેવા ખરાબ કામ કરવાની લાલચ આવે તો, યુસફના દાખલાને યાદ રાખીએ. તેમના શેઠની પત્ની દરરોજ તેમને લલચાવતી, પણ તે સાફ ના પાડતા. (ઉત ૩૯:૭-૧૦) તે કહેતા, ‘એવું ખરાબ કામ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?’ એનાથી ખબર પડે છે કે તેમણે યહોવાની આ વાત પર મનન કર્યું હતું: પતિ-પત્ની એકબીજાને વફાદાર રહે એ યહોવાની નજરે મહત્ત્વનું છે. એટલે જ્યારે તેમના પર વ્યભિચાર કરવાનું દબાણ આવ્યું, ત્યારે તે શેઠની પત્નીની વાતોમાં આવી ગયા નહિ. તે કમજોર પડ્યા નહિ, પણ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા અને ત્યાંથી ભાગી ગયા.—ઉત ૩૯:૧૨; ૧કો ૬:૧૮.
વ્યભિચારથી દૂર ભાગીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
જીન સામે કેવા સંજોગો આવ્યા?
મીકયોન્ગે ગણિતનું હોમવર્ક કરવા જીન પાસે મદદ માંગી ત્યારે તે કેવો વિચાર કરે છે?
મીકયોન્ગે મદદ માંગી ત્યારે જીનને કેવું લાગ્યું?
જીનને કઈ રીતે મદદ મળી?
વ્યભિચારથી દૂર ભાગવા જીને શું કર્યું?
આ વીડિયોમાંથી તમને શું શીખવા મળ્યું?