બાઇબલમાં રહેલો ખજાનો | કોલોસીઓ ૧-૪
જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો
યહોવાના ભક્ત બનવા શું તમારે મોટા મોટા ફેરફારો કરવા પડ્યા હતા? એ માટે તમે જે મહેનત કરી હતી એનાથી યહોવા જરૂર ખુશ થયા હશે. (હઝ ૩૩:૧૧) પણ બની શકે કે જૂના સ્વભાવનો રંગ પાછો આવવા લાગે. એની સામે આપણે સખત લડતા રહેવું જોઈએ. નવો સ્વભાવ કેળવવામાં પાછા ન પડીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. નીચેના સવાલો તપાસો અને જુઓ કે તમારે કયાં પાસાઓમાં સુધારો કરવાની જરૂર છે:
કોઈએ મને દુઃખ પહોંચાડ્યું હોવાથી, શું તેમના પ્રત્યે ખાર રાખું છું?
હું ઉતાવળમાં હોઉં કે થાકી ગયો હોઉં ત્યારે, શું ધીરજ ખોઈ બેસું છું?
કોઈ ગંદો વિચાર આવે તો, શું એને તરત જ મનમાંથી કાઢી નાખું છું?
શું બીજી જાતિ કે બીજા દેશના લોકો વિશે ખરાબ વિચારું છું?
શું હાલમાં કોઈને એલફેલ બોલી ગયો છું કે કોઈના પર ગુસ્સે થયો છું?