બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૨૭-૨૮
પાઊલ વહાણમાં રોમ જાય છે
પાઊલ એક કેદી હતા તોય ખુશખબર જણાવવાનું છોડ્યું નહિ. તેમણે વહાણમાં પણ ખલાસીઓ અને મુસાફરોને પ્રચાર કર્યો. માલ્ટા નજીક વહાણ તૂટી ગયું ત્યારે, પાઊલ અને બીજા બધા કિનારે આવી પહોંચ્યા અને પાઊલે ત્યાં ઘણાને બીમારીમાંથી સાજા કર્યા. એમાં કોઈ શંકા નથી કે પાઊલે તેઓને ખુશખબર પણ જણાવી હશે. રોમ પહોંચ્યા એના ત્રણ દિવસ પછી, તેમણે યહુદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા અને તેઓને ખુશખબર જણાવી. પાઊલ બે વર્ષ સુધી એક ઘરમાં નજરકેદ હતા. ત્યાં જેઓ તેમને મળવા આવતા તેઓને તે ખુશખબર જણાવતા.
પોતાના સંજોગોને લઈને વધારે કરી શકતા ન હોય તોપણ ખુશખબર જણાવવા તમે શું કરી શકો?