બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૨-૧૩
“ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”
લુક ૧૨:૬, ૭માં ઈસુએ કહેલા શબ્દોનો શો અર્થ થાય? કલમ ૪માં, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તેઓએ વિરોધીઓથી કે તેઓના જીવ પાછળ પડ્યા છે એવા લોકોથી ડરવાની જરૂર નથી. ઈસુ પોતાના શિષ્યોને આવનાર વિરોધનો સામનો કરવા માટે તૈયાર કરી રહ્યા હતા. તેમણે ખાતરી આપી કે યહોવા દરેક સેવકને મૂલ્યવાન ગણે છે અને તેઓને કાયમી નુકસાનથી બચાવશે.
યહોવાની જેમ આપણે કઈ રીતે બતાવી શકીએ કે સતાવણીનો સામનો કરી રહેલાં ભાઈ-બહેનો માટે આપણને પરવા છે?
પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે એવાં ભાઈ-બહેનો વિશે તાજેતરની માહિતી આપણે ક્યાંથી મેળવી શકીએ?
હાલમાં, કેટલાં ભાઈ-બહેનો જેલમાં છે?