તેના બધા પ્રશ્નોના જવાબ મળ્યા
ભારતમાં યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં આવેલા એક માણસને તેઓનું શિક્ષણ તેના ચર્ચમાં જે શીખવવામાં આવતું હતું એનાથી તદ્ન અલગ જોવા મળ્યું. તેણે યહોવાહના સાક્ષીઓ સાથે એના વિષે વાત કરી અને તેમની ભારતની શાખા કચેરીને પ્રશ્નો પણ લખ્યા.
ત્યાર પછી, એક દિવસ એ માણસે પત્રની શરૂઆત આ રીતે કરી હતી: “લોનાવલાના મારા સૌથી વહાલા ભાઈઓ”—સાક્ષીઓની ભારત શાખા કચેરીનું સ્થળ. તેણે સમજાવ્યું: “મે ૮, ૧૯૯૫, સજાગ બનો! (અંગ્રેજી) સામયિકના ‘શું તમને કદી આશ્ચર્ય થયું છે?’ લેખે મારી બધી શંકાઓ અને પ્રશ્નોના આપમેળે જવાબ આપ્યા. મને સંપૂર્ણપણે ખાતરી થઈ છે કે યહોવાહના સાક્ષીઓ પાસે સત્ય છે.”
સજાગ બનો!માંના એ લેખે “શું સાચી ઉપાસનાને સંતાડવાનો કે દેવના નામની અવેજી પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ?” “સાચા ધર્મએ એના શિક્ષણના પરિણામ રૂપે કેવા પ્રકારની વર્તણૂક આચરવી જોઈએ?” “શું યુદ્ધોમાં અને એને લગતા કે કોમી કતલમાં ભાગ લેવાની પરવાનગીની ઉપાસના દેવને મંજૂર છે?” જેવા પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે.
[Caption on page ૩૨]
અમને વિશ્વાસ છે કે સજાગ બનો! તમને પણ તમારી બાઇબલ સત્યની તપાસ કરવા મદદ કરી શકે. તમે પણ પ્રત મેળવવા કે તમારી સાથે બાઇબલની ચર્ચા કરવા તમારા ઘરે કોઈ આવે એવું ઇચ્છતા હોવ તો, કૃપા કરીને Watch Tower, H-58, Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને, અથવા પાન ૨ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.