વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sgd પાન ૩૪-૩૫
  • ૫ બાઇબલનો સંદેશો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૫ બાઇબલનો સંદેશો
  • બાઇબલનો અભ્યાસ કરવા મદદ
  • મથાળાં
  • ઈ.સ. પૂર્વે ૪૦૨૬ પછી
  • ઈ.સ. પૂર્વે ૧૯૪૩
  • ઈ.સ. પૂર્વે ૧૦૭૦ પછી
  • ઈ.સ. ૨૯
  • ઈ.સ. ૩૩
  • લગભગ ઈ.સ. ૧૯૧૪
  • ભાવિ
બાઇબલનો અભ્યાસ કરવા મદદ
sgd પાન ૩૪-૩૫

૫

બાઇબલનો સંદેશો

ચિત્ર

યહોવા વિશ્વના માલિક હોવાથી, તેમને જ રાજ કરવાનો હક છે. તેમના માર્ગો આપણા ભલા માટે છે. પૃથ્વી અને મનુષ્યો માટેનો તેમનો હેતુ જરૂર પૂરો થશે.

એદન બાગમાં આદમ અને હવા, નજીકમાં સાપ

ઈ.સ. પૂર્વે ૪૦૨૬ પછી

યહોવાના રાજ કરવાના હક પર અને તેમની રાજ કરવાની રીત પર ‘સાપ’ એટલે કે શેતાન સવાલ ઉઠાવે છે. યહોવા વચન આપે છે કે પોતે ‘સંતાન’ ઊભું કરશે, જે આખરે શેતાનનો નાશ કરશે. (ઉત્પત્તિ ૩:૧-૫, ૧૫) જોકે, શેતાનની અસર નીચે મનુષ્યને રાજ કરવાની યહોવા હમણાં છૂટ આપે છે.

ઈશ્વરનું વચન સાંભળી રહેલા ઈબ્રાહીમ

ઈ.સ. પૂર્વે ૧૯૪૩

યહોવા ઈબ્રાહીમને જણાવે છે કે વચનનું ‘સંતાન’ તેમના વંશમાંથી હશે.—ઉત્પત્તિ ૨૨:૧૮.

રાજા દાઊદ

ઈ.સ. પૂર્વે ૧૦૭૦ પછી

રાજા દાઊદ અને પછીથી તેમના દીકરા સુલેમાનને યહોવા ખાતરી આપે છે કે વચનનું ‘સંતાન’ તેમના વંશમાંથી આવશે.—૨ શમૂએલ ૭:૧૨, ૧૬; ૧ રાજાઓ ૯:૩-૫; યશાયા ૯:૬, ૭.

ઈસુ પોતાના બાપ્તિસ્મા સમયે

ઈ.સ. ૨૯

ઈસુને યહોવા વચનના ‘સંતાન’ તરીકે ઓળખાવે છે, જે દાઊદના રાજ્યાસનના વારસ છે.—ગલાતી ૩:૧૬; લુક ૧:૩૧-૩૩; ૩:૨૧, ૨૨.

ઈસુ પોતાના મરણના સમયે

ઈ.સ. ૩૩

ઈસુને મારી નંખાવીને શેતાને વચનના ‘સંતાનʼને થોડો સમય હાનિ પહોંચાડી. ઈસુને સજીવન કરીને યહોવા સ્વર્ગનું જીવન આપે છે, ઈસુના સંપૂર્ણ જીવનનું મૂલ્ય સ્વીકારે છે. એ આધારે પાપોની માફી અને આદમનાં વંશજોને સદાનું જીવન આપવા યહોવાએ માર્ગ ખોલ્યો.—ઉત્પત્તિ ૩:૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨-૩૬; ૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨.

પ્રકટીકરણમાં અપાયેલા વચન પ્રમાણે શેતાનને પૃથ્વી પર ફેંકવામાં આવે છે

લગભગ ઈ.સ. ૧૯૧૪

શેતાનને પૃથ્વી પર ફેંકી દઈને ઈસુ તેને થોડા સમય માટે પૃથ્વી પૂરતો મર્યાદિત કરી દે છે.—પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨.

પ્રકટીકરણમાં અપાયેલા વચન પ્રમાણે ઈસુ  સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરી રહ્યા છે

ભાવિ

ઈસુ ૧,૦૦૦ વર્ષ માટે શેતાનને કેદ કરે છે અને પછી તેનો નાશ કરે છે, જાણે કે તેનું માથું છૂંદે છે. પૃથ્વી અને મનુષ્ય માટેનો યહોવાનો હેતુ પૂરો થાય છે, તેમના નામ પર લાગેલો દોષ દૂર થાય છે અને તેમની રાજ કરવાની રીત ખરી સાબિત થાય છે.—પ્રકટીકરણ ૨૦:૧-૩, ૧૦; ૨૧:૩, ૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો