બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૩૩-૩૪
યહોવાના સુંદર ગુણો
મુસા યહોવાના ગુણો સારી રીતે જાણતા હતા. એટલે તે ઇઝરાયેલીઓ સાથે ધીરજથી વર્તી શક્યા. મુસાની જેમ આપણે પણ યહોવાના ગુણોને સારી રીતે જાણવા જોઈએ. જો એમ કરીશું તો આપણે ભાઈ-બહેનો માટે દયા બતાવી શકીશું.
‘દયા અને કૃપા’: જે રીતે મા-બાપ પોતાનાં બાળકોની કાળજી રાખે છે એ રીતે યહોવા પોતાના ભક્તોની પ્રેમથી કાળજી રાખે છે
‘ક્રોધ કરવામાં ધીમા’: તેમના ભક્તો ભૂલ કરે ત્યારે યહોવા ધીરજ રાખે છે અને તેઓને સુધારો કરવા સમય આપે છે
‘અનુગ્રહ [“અતૂટ પ્રેમ” NWT]’: યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ કરે છે અને તેઓનો સાથ કદી છોડશે નહિ
પોતાને પૂછો: ‘હું કઈ રીતે યહોવાની જેમ દયા અને કૃપા બતાવી શકું?’