ઘાનામાં સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે
રજૂઆતની એક રીત
દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33)
સવાલ: વિજ્ઞાન અને ટૅક્નોલૉજીમાં પ્રગતિ થવાથી આપણને ઘણો ફાયદો થયો છે. પણ, માણસોએ એનો ઉપયોગ પોતાના સ્વાર્થ ખાતર કર્યો છે. એનાથી પ્રદુષણ અને હિંસા ફેલાયાં છે તેમજ લોકોમાં ભાગલા પડ્યા છે. એનો હલ કઈ રીતે લાવવો, એ વિશે શું તમે કદી વિચાર્યું છે?
શાસ્ત્રવચન: ગી ૭૨:૧૩, ૧૪
આમ કહો: આ પત્રિકા બતાવે છે કે, દુનિયા પર કોણ રાજ કરે છે અને સ્વાર્થી સત્તાધીશોને લીધે થયેલા નુકસાનને કઈ રીતે આપણા સર્જનહાર દૂર કરશે.
સત્ય શીખવો
સવાલ: શું આ દુનિયાનો અંત નજીક છે?
સત્ય: પવિત્ર શાસ્ત્રમાંની ભવિષ્યવાણીઓ બતાવે છે કે, આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. જોકે, આ એક ખુશખબર છે, કારણ કે સુખના દિવસો જલદી જ આવશે.
સાચો માર્ગ કયો છે? (kt)
સવાલ: ઘણા લોકો આવા સવાલો વિશે વિચારે છે: “શું ઈશ્વર મને ભૂલી ગયો છે? બધા એકબીજા સાથે શાંતિથી રહી શકશે? આપણું સુખ શેમાં છે?” શું તમને લાગે છે કે, આવા સવાલોના જવાબ આપણે મેળવી શકીએ?
શાસ્ત્રવચન: યોહ ૧૭:૧૭
આમ કહો: આવા સવાલોના સાચા અને સંતોષકારક જવાબ આ પત્રિકામાં આપવામાં આવ્યા છે.
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.