દેવશાહી સેવા શાળા સમીક્ષા
ઑક્ટોબર ૨૬, ૨૦૧૫થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
બીજો રાજાઓ ૧૩:૧૮, ૧૯નો અહેવાલ કઈ રીતે બતાવે છે કે, ઈશ્વરની ભક્તિ પૂરા દિલથી કરવી અને ઉત્સાહ બતાવવો બહુ મહત્ત્વના છે? [સપ્ટે. ૭, w૧૦ ૪/૧ પાન ૨૮ ફકરો ૧૧]
યહોવાએ શા માટે અઝાર્યાહને (ઉઝ્ઝીયાહને) કોઢિયો બનાવી દીધો? (૨ રાજા. ૧૫:૧-૬) [સપ્ટે. ૭, w૦૫ ૮/૧ પાન ૧૧ ફકરો ૪]
યશાયા દ્વારા જણાવવામાં આવેલા યહોવાનાં વચન પર આહાઝે કઈ રીતે ભરોસો બતાવ્યો નહિ? મહત્ત્વના નિર્ણય લેતી વખતે આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (૨ રાજા. ૧૬:૭) [સપ્ટે. ૧૪, w૧૩ ૧૧/૧૫ પાન ૧૭ ફકરો ૫]
આપણે કઈ રીતે જાણી શકીએ કે યહોવા હેતુના ઈશ્વર છે? (૨ રાજા. ૧૯:૨૫) [સપ્ટે. ૨૧, w૯૯ ૦૮/૧૫ પાન ૧૪ ફકરો ૩]
બાઇબલ વાંચન અને અભ્યાસમાંથી વધુ લાભ થાય માટે યોશીયાએ બતાવેલી નમ્રતા આપણને કઈ રીતે મદદ કરે છે? (૨ રાજા. ૨૨:૧૯, ૨૦) [સપ્ટે. ૨૧, w૦૦ ૩/૧ પાન ૩૦ ફકરો ૨]
બીજો રાજાઓ ૨૫:૨૭-૩૦માં જણાવેલા બે રાજાઓ વિશે પુરાતત્ત્વશાસ્ત્રીઓએ શું શોધી કાઢ્યું છે? [સપ્ટે. ૨૮, w૧૨ ૭/૧ પાન ૫ ફકરા ૨-૩]
યાબેસે યહોવાને કઈ વિનંતી કરી? એમાંથી આપણને પ્રાર્થના વિશે શું શીખવા મળે છે? (૧ કાળ. ૪:૯, ૧૦) [ઑક્ટો. ૫, w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૬]
પહેલો કાળવૃત્તાંત ૫:૧૮-૨૨માં જણાવેલી લડાઈનું પરિણામ શું આવ્યું? એ અહેવાલ આપણને ભક્તિમાં ટકી રહેવા કઈ રીતે મદદ કરે છે? [ઑક્ટો. ૧૨, w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૭]
યહોવાનો નિયમ હતો કે, લોહીને પવિત્ર ગણવું. દાઊદ કેમ એને સારી રીતે સમજી શક્યા અને એની કદર કરી શક્યા? એમાંથી આપણને શું કરવા ઉત્તેજન મળે છે? (૧ કાળ. ૧૧:૧૭-૧૯) [ઑક્ટો. ૧૯, w૧૨ ૧૧/૧ પાન ૧૧-૧૨ ફકરા ૧૨-૧૪]
કરારકોશને યરૂશાલેમ લાવતી વખતે દાઊદે કઈ બાબતનું ધ્યાન ન રાખ્યું? એ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? (૧ કાળ. ૧૫:૧૩) [ઑક્ટો. ૨૬, w૦૩ ૫/૧ પાન ૧૦-૧૧ ફકરા ૧૧-૧૩]