“હું અહીંયા આવ્યો છું કેમ કે . . . ”
ઘરમાલિક દરવાજો ખોલે અને આપણને જોઈને કદાચ વિચારે કે આપણે કોણ છીએ અને શા માટે આવ્યા છીએ. તેઓની મૂંઝવણ દૂર કરવા આપણે વાતચીતની શરૂઆતમાં શું કહી શકીએ? કેમ છો કહ્યા પછી અમુક પ્રકાશકો “કેમ કે” વાપરીને સમજાવે છે. દાખલા તરીકે, તેઓ કદાચ કહેશે: “અમે બધાને મળીએ છીએ, કેમ કે ઘણા લોકો માટે ગુના ચિંતાનો વિષય છે. શું તમને લાગે છે કે . . . ” અથવા ઘરમાલિકની ધાર્મિક માન્યતાને આધારે તેઓ કદાચ કહે: “હું અહીંયા આવ્યો છું કેમ કે હું બાઇબલમાંથી વિના મૂલ્યે શીખવું છું.” જો ઘરમાલિકને શરૂઆતમાં જ જણાવવામાં આવે કે તમે શા માટે આવ્યા છો, તો તમે શું કહેવાના છો એ સારી રીતે સાંભળવા તે તૈયાર થશે. સમજી-વિચારીને વાત શરૂ કરશો તો ઘરમાલિકનું ધ્યાન મેળવી શકશો અને ગેરસમજ દૂર કરવા મદદ મળશે.