દેવશાહી સેવા શાળા સમીક્ષા
જૂન ૨૫, ૨૦૧૨થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.
૧. યિર્મેયાને મુશ્કેલીના સમયમાં યહોવાએ જે રીતે ટકાવી રાખ્યા એમાંથી આપણને શું શીખવા મળે છે? (યિર્મે. ૩૭:૨૧) [મે ૭, w૯૭ ૯/૧૫ પાન ૩, ફકરો ૪–પાન ૪, ફકરો ૧]
૨. બારૂખ પોતાને માટે કેવી ‘મહત્તા શોધતા’ હતા? યહોવાની સલાહ સાંભળીને તેમણે જે કર્યું એમાંથી શું શીખી શકીએ? (યિર્મે. ૪૫:૨-૫) [મે ૨૧, w૦૮ ૧૦/૧ પાન ૧૩, ફકરો ૭; w૦૮ ૪/૧ પાન ૨૦, ફકરો ૧૬]
૩. મિસરનો અવાજ કેમ સાપ સાથે સરખાવવામાં આવ્યો હતો? (યિર્મે. ૪૬:૨૨) [મે ૨૧, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૫]
૪. બાબેલોનની ગુલામીમાં યહુદીઓને યિર્મેયા પ્રબોધકે જે સંદેશો આપ્યો એમાંથી આપણે શું શીખી શકીએ? (યિર્મે. ૫૧:૬, ૪૫, ૫૦) [જૂન ૪, w૦૮ ૬/૧ પાન ૧૧-૧૨, ફકરો ૯-૧૦]
૫. યહોવાએ કઈ રીતે “દ્રાક્ષાકુંડમાં યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે”? (યિ.વિ. ૧:૧૫) [જૂન ૧૧, w૦૭ ૬/૧ પાન ૮, ફકરો ૬]
૬. કઈ રીતે “ઈસ્રાએલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી” દેવામાં આવી? (યિ.વિ. ૨:૧) [જૂન ૧૧, w૦૭ ૬/૧ પાન ૮, ફકરો ૭]
૭. યહોવાનું “પાયાસન” અને તેમનો “મંડપ” શું છે? (યિ.વિ. ૨:૧, ૬) [જૂન ૧૧, w૦૭ ૬/૧ પાન ૯, ફકરો ૧]
૮. યિર્મેયાએ કહ્યું કે યહોવા મારું ‘સ્મરણ કરીને મારા પર દીન થઈ ગયો’ એનો શું અર્થ થાય અને એ જાણવું આપણા માટે કેમ મહત્ત્વનું છે? (યિ.વિ. ૩:૨૦) [જૂન ૧૮, w૦૭ ૬/૧ પાન ૧૧, ફકરો ૧]
૯. યુવાનીમાં આવનાર દુઃખ-તકલીફો સહન કરવાથી વ્યક્તિને શો ફાયદો થશે? (યિ.વિ. ૩:૨૭) [જૂન ૧૮, w૦૭ ૬/૧ પાન ૧૧, ફકરો ૩]
૧૦. લોકો આપણું ના સાંભળે તોપણ કઈ રીતે હઝકીએલનો દાખલો આપણને હિંમતથી સંદેશો જાહેર કરવા મદદ કરશે? (હઝકી. ૩:૮, ૯) [જૂન ૨૫, w૦૮ ૭/૧ પાન ૮-૯, ફકરો ૬-૭]