દેવશાહી સેવા શાળા સમીક્ષા
એપ્રિલ ૩૦, ૨૦૧૨થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.
૧. આપણે કેમ યિર્મેયાના પુસ્તકમાં રસ બતાવવો જોઈએ? [માર્ચ ૫, w૦૭ ૪/૧ પાન ૮, ફકરો ૨]
૨. યહોવા આપણને કેવી રીતે સતાવણીમાંથી બચાવી શકે? (યિર્મે. ૧:૮) [માર્ચ ૫, w૦૫ ૧૨/૧૫ પાન ૨૩, ફકરો ૧૮]
૩. અભિષિક્ત જનો ક્યારે અને કેવી રીતે “પુરાતન માર્ગોમાં” પાછા ફર્યા હતા? (યિર્મે. ૬:૧૬) [માર્ચ ૧૨, w૦૫ ૧૧/૧ પાન ૨૪, ફકરો ૧૨]
૪. સમરૂનનું શહેર ઈ.સ. પૂર્વે ૭૪૦માં ઉજ્જડ થઈ ગયું હતું. યિર્મેયાએ યહોવાનો ન્યાયચુકાદો આપ્યો ત્યારે તેમણે કેમ આ ૧૦ કુળના રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો? (યિર્મે. ૧૧:૧૦-૧૨, ૧૭) [માર્ચ ૧૯, w૦૭ ૪/૧ પાન ૯, ફકરો ૩]
૫. આનો શું અર્થ થાય કે યહોવા ‘ઘણા માછીઓને અને ઘણા શિકારીઓને તેડાવશે’? (યિર્મે. ૧૬:૧૬) [માર્ચ ૨૬, w૦૭ ૪/૧ પાન ૯, ફકરો ૬]
૬. યહોવાએ કઈ રીતે ‘તેમના બળથી’ યિર્મેયાને છેતર્યા? (યિર્મે. ૨૦:૭) [એપ્રિ. ૨, w૦૭ ૪/૧ પાન ૯, ફકરો ૭]
૭. શું આ આજ્ઞાનો અર્થ એ થાય કે દાઊદના વંશમાંથી આવેલા ઈસુ ખ્રિસ્ત રાજ નહિ કરી શકે? (યિર્મે. ૨૨:૩૦) [એપ્રિ. ૯, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૧]
૮. ઈશ્વરનો નિયમ કઈ રીતે હૃદય પર લખેલો છે? (યિર્મે. ૩૧:૩૩) [એપ્રિ. ૨૩, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૨]
૯. એક કરારની બે નકલો બનાવવાનું શું કારણ છે? (યિર્મે. ૩૨:૧૦-૧૫) [એપ્રિ. ૩૦, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૩]
૧૦. આ “બે ગોત્ર” એટલે કુટુંબો કોણ છે? (યિર્મે. ૩૩:૨૩-૨૪) [એપ્રિ. ૩૦, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૪]