વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૦ પાન ૩
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૦ પાન ૩

દેવશાહી સેવા શાળા સમીક્ષા

સપ્ટેમ્બર ૬થી ઑક્ટોબર ૨૫, ૨૦૧૦ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. ઑક્ટોબર ૨૫થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.

૧. અઝાર્યાહના (ઉઝ્ઝીયાહના) જીવનમાંથી આપણે શું શીખી શકીએ? (૨ રાજા. ૧૫:૧-૬) [w૦૫ ૧૦/૧૫ પાન ૨૫ ફકરો ૧૯]

૨. ૨ રાજાઓ ૧૩:૨૦, ૨૧માં જણાવેલો ચમત્કાર શું એમ બતાવે છે કે આપણે પુરાણી ધાર્મિક ચીજવસ્તુઓની પૂજા કરવી જોઈએ? [w૦૫ ૮/૧ પાન ૧૧ ફકરો ૩]

૩. શું હિઝ્કીયાહે મિસર સાથે દોસ્તીનો કરાર કર્યો હતો? (૨ રાજા. ૧૮:૧૯-૨૧, ૨૫) [w૦૫ ૮/૧ પાન ૧૧ ફકરો ૫]

૪. શા માટે યહોવાહને ‘ઘડનાર’ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે? (૨ રાજા. ૧૯:૨૫) [w૯૯ ૮/૧૫ પાન ૧૪ ફકરો ૩]

૫. શા માટે યહોવાહ યહુદાહને ‘ક્ષમા કરવા રાજી ન હતા’? (૨ રાજા. ૨૪:૩, ૪) [w૦૫ ૮/૧ પાન ૧૨ ફકરો ૧]

૬. શા માટે ૧ શમૂએલ ૧૬:૧૦, ૧૧ કહે છે કે દાઊદ યિશાઈનો આઠમો દીકરો હતો, પરંતુ એઝરા કહે છે કે તે સાતમો દીકરો હતો? (૧ કાળ. ૨:૧૫) [w૦૨ ૯/૧૫ પાન ૩૧]

૭. આપણે કેવી રીતે ગિલઆદીઓના ઉદાહરણને અનુસરી શકીએ? (૧ કાળ. ૫:૧૦, ૧૮-૨૨) [w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૭]

૮. લેવી દ્વારપાળો પાસેથી આપણે શું શીખી શકીએ? (૧ કાળ. ૯:૨૬, ૨૭) [w૦૫ ૧૦/૧ પાન ૯ ફકરો ૮]

૯. દાઊદના શૂરવીરોએ ૩૦૦ માણસોને માર્યા હતા. જ્યારે કે ૨ શમૂએલ ૨૩:૮ કહે છે તેઓએ ૮૦૦ને માર્યા હતા. આ ફરક શા માટે? (૧ કાળ. ૧૧:૧૧) [w૦૫ ૧૦/૧ પાન ૧૦ ફકરો ૩]

૧૦. ૧ કાળવૃત્તાંત ૧૩:૧૧માં જણાવેલા બનાવમાં દાઊદે કઈ ભૂલ કરી? [w૦૫ ૧૦/૧ પાન ૧૧]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો