શું બધા ધર્મો દેવ તરફ દોરી જાય છે?
કરોડો લોકો માને છે કે બધા ધર્મો એક જ સ્થળે લઈ જતા ફક્ત જુદા જુદા રસ્તાઓ છે. હકીકત એ છે કે શિક્ષણો, ધાર્મિક વિધિઓ અને ધર્મોના દેવતાઓ સરખા જ છે. દાખલા તરીકે, ભારત, કેરળમાની આઠમી સદીની આ હિંદુ મૂર્તિની દંતકથાના પાત્રને જુઓ.
કેવું નોંધપાત્ર છે કે ઘણા પ્રાચીન ઘર્મોમાં બળદોની ઉપાસના થતી હતી. દાખલા તરીકે, પ્રથમ સદીના ગ્રીક ઇતિહાસકાર દિઓદોરસ સીકયલસ અનુસાર, આમ્મોનીઓના દેવ મોલેખને માણસનું શરીર હતું પરંતુ માથું બળદનું હતું.
શા માટે આખા જગતના અલગ અલગ ઘણા ધર્મોમાં નોંધપાત્ર સરખાપણું જોવા મળે છે? શું આ ધર્મોનું એક જ સામાન્ય ઉદ્ભવ છે? શું એઓ ખરેખર એક જ જગ્યાએ દોરી જતા જુદા જુદા રસ્તાઓ છે? શું દેવ એઓમાંના સર્વને સ્વીકારે છે?
જગતના મુખ્ય ધર્મોના ઉદ્ભવ અને વિકાસના અચંબો પમાડનાર અહેવાલના આ પ્રકારના પ્રશ્નના જવાબ, માણસજાતની દેવ માટેની શોધ (અંગ્રેજી) પુસ્તકમાં છે. તમે આ પુસ્તક મેળવવાનું ઇચ્છતા હોવ અથવા આ વિષે બાઇબલ શું કહે છે એની ચર્ચા કરવા કોઈ તમારા ઘરની મુલાકાત કરે એવું ઇચ્છતા હોવ તો, કૃપા કરીને Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.