તેઓએ તેનું ધ્યાન ખેંચ્યું
મે ૧૯૯૫માં ન્યૂ યોર્ક સિટીમાંની એક સ્ત્રીએ બ્રુકલિન, ન્યૂ યોર્કમાંના યહોવાહના સાક્ષીઓના મુખ્યમથકને લખ્યું. તેણે સમજાવ્યું:
“હું પૂર્વ ૧૨૪મી સ્ટ્રીટ, પ્રથમ અને બીજા એવેન્યુ વચ્ચે, ચાલી જઈ રહી હતી. મારી નજર નીચે પડી, અને પવન કેટલીક પત્રિકા ઊડાવી લઈ જઈ રહ્યો હતો. હું વાંકી વળી અને તમારી ત્રણ પત્રિકા ઊપાડી લીધી, ઉદાસીનો માટે દિલાસો, કૌટુંબિક જીવનનો આનંદ માણો, અને આ જગત પર ખરેખર કોણ શાસન કરે છે? મેં એ વાંચી અને એમાં મને ઘણો આનંદ મળ્યો.
“તમે કૃપા કરી મને વિનામૂલ્ય બાઇબલ અભ્યાસક્રમ વિષે થોડીક માહિતી મોકલશો તો હું એની કદર કરીશ. વળી, શક્ય હોય તો, મને તમારું થોડુંક સાહિત્ય મેળવવું ગમશે. મારા વિષે, એ એક આશીર્વાદ હતો કે ભલા પ્રભુએ મને મળે એ રીતે મારા રસ્તે ત્રણ પત્રિકાઓ મૂકી. પ્રભુ જરૂર અદ્ભુત રીતે કાર્ય કરે છે.”
તમારે આ ધ્યાનાકર્ષક પત્રિકાઓ વાંચવી હોય અથવા વિનામૂલ્ય બાઇબલ અભ્યાસ કરવો હોય તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Maharashtra, Indiaને, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો. (g96 2/22)
ઉદાસીન લોકો માટે
દિલાસો (COMFORT)
કૌટુંબિક જીવનનો આનંદ માણો (ENJOY FAMILY LIFE)
શું કુટુંબો ખરેખર સુખી થઈ શકે?
એ કઈ રીતે શક્ય છે?
જગતનું શાસન ખરેખર કોનું છે? (WHO RULES)