ફૂટનોટ
f પ્રેરિતોનાં મરણ પછી, બધાં ખ્રિસ્તી મંડળોમાં બાઇબલના શિક્ષણમાં ભેળસેળ થવા લાગી. ઘણી સદીઓ સુધી, પ્રચારકાર્યમાં બહુ થોડું કામ થયું. પરંતુ, “કાપણીની મોસમ” દરમિયાન એટલે કે, જગતના છેલ્લા સમયમાં પ્રચારકાર્ય ફરીથી શરૂ થવાનું હતું. (માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજમાં પાન ૯-૧૨ જુઓ.