ફૂટનોટ
d બાઇબલના ઘણા અહેવાલો ‘સમજવામાં અઘરા’ લાગી શકે. જેમ કે, પ્રેરિત પાઊલનાં કેટલાક લખાણો. પરંતુ, બાઇબલના બધા જ લેખકોને એ લખવાની પ્રેરણા પવિત્ર શક્તિથી મળી હતી. આજે, ઈશ્વરની શક્તિ સાચા ખ્રિસ્તીઓને બાઇબલ સમજવા મદદ કરે છે. અરે, “ઈશ્વરના ઊંડા વિચારોને” પણ સમજવા મદદ કરે છે.—૨ પીત. ૩:૧૬, ૧૭; ૧ કોરીં. ૨:૧૦.