ફૂટનોટ
a યહોવાહના સાક્ષીઓના ૨૦૦૪ના કૅલેન્ડરમાં માર્ચ અને એપ્રિલ મહિનાઓ જુઓ.
[પાન ૯ પર બોક્સ/ચિત્ર]
પૃથ્વીના દસ ટકા લોકો પહાડી જગ્યાઓમાં રહે છે. તેમ છતાં તેઓને મળીને શુભસંદેશો જણાવી શકાય છે. યહોવાહના સેવકો પહાડો પર પ્રચાર કામ કરવા માટે સખત મહેનત કરે છે. “જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!”—યશાયાહ ૫૨:૭.
“ઊંચા પર્વતો રાની બકરાઓનો અને ખડકો સસલાંનો આશરો છે,” એવું ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૮) પર્વતો પર આ સુંદર શિંગડાવાળી બકરીઓ રહે છે. બધા જાનવરો કરતાં ચાલવામાં ચપળ હોય છે. માનવામાં નહિ આવે, પણ તેઓ પર્વતના કિનારાની ધારે ધારે પણ ચાલી શકે છે. કોઈ પહોંચી ન શકે એવી જગ્યાએ આ બકરીઓ જઈ શકે છે. તેઓના પગના તળિયાની રચનાને કારણે એવી રીતે ચાલી શકે છે. આ બકરીના વજનથી પગ પહોળા પણ થઈ શકે જેથી એ પથ્થરની ધારે ઊભી હોય તોપણ ડગુમગુ ન થાય. ખરેખર આ બકરીઓની રચના પણ સુંદર છે!
[પાન ૯ પર ચિત્ર]
જાપાનનો ફૂજી પર્વત