ફૂટનોટ
b ઉત્તર ઈસ્રાએલમાં યરોબઆમ બીજો રાજ કરતો હતો ત્યારે ઘણી ધન-દોલત હતી. એનું કારણ એ હોય શકે કે તેઓ મોટી મોટી લડાઈઓ જીત્યા હતા. અગાઉ હારી ગયેલા દેશો પણ પાછા જીતી લીધા હતા. વળી, એ કારણે બીજા દેશોના રાજાઓ ઈસ્રાએલને કર ભરતા હતા.—૨ શમૂએલ ૮:૬; ૨ રાજાઓ ૧૪:૨૩-૨૮; ૨ કાળવૃત્તાંત ૮:૩, ૪; આમોસ ૬:૨.
તમે શું કહેશો?
• યહોવાહને પોતાના સેવકોએ કરેલી ભૂલો વિષે કેવું લાગે છે?
• યૂના અને પીતરના અનમોલ મોતી જેવા કયા ગુણો તમને ગમ્યા?
• હવે તમે ભાઈ-બહેનોમાં શું જોવાનો નિર્ણય કર્યો છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. અલીઆબને ઓળખવામાં યહોવાહ અને શમૂએલમાં કયો ફરક હતો? આપણે એમાંથી શું શીખીએ છીએ?
૩, ૪. (ક) કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે આપણને શું જાણવું ગમે છે? (ખ) કોઈની સાથે મનદુઃખ થાય તો, કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?
૫. યહોવાહે યૂનાને કયું કામ સોંપ્યું અને યૂનાએ શું કર્યું?
૬. યહોવાહે શા માટે યૂનાને નીનવેહ જવા પસંદ કર્યા?
૭. ઈશ્વરભક્ત યૂનાના જમાનામાં ઈસ્રાએલીઓ કેવા હતા? એનાથી આપણા મન પર યૂના વિષે કેવી છાપ પડે છે?
૮. શું નીનવેહમાં પ્રચાર કરવાનું કામ સહેલું હતું?
૯. વહાણમાંના લોકોના જીવ જોખમમાં હતા ત્યારે, યૂનાએ શું કર્યું?
૧૦. યહોવાહે યૂનાને ફરીથી નીનવેહ મોકલ્યા પછી શું થયું?
૧૧. યૂના પોતાના અનુભવોમાંથી શું શીખ્યા?
૧૨. (ક) કઈ રીતે ઈસુ પણ યહોવાહની જેમ જ લોકોને જુએ છે? (ખ) પ્રચાર કરતી વખતે, આપણે લોકો વિષે શું વિચારવું જોઈએ? (પાન ૧૮ પરનું બોક્ષ જુઓ.)
૧૩. પહેલી નજરે આપણને પીતર કેવા લાગી શકે? પરંતુ ઈસુએ તેમને શા માટે પસંદ કર્યા હતા?
૧૪. (ક) શા માટે પીતર વધારે બોલતા હોય શકે? (ખ) પીતરના સ્વભાવથી આજે આપણને કયો લાભ થાય છે?
૧૫. પીતરે કઈ રીતે પોતાની દોસ્તી નીભાવી?
૧૬. યૂના અને પીતર વિષે આપણે શા માટે વિચાર કરવો જોઈએ?
૧૭, ૧૮. (ક) શા માટે કોઈ વાર આપણી વચ્ચે ગરમા-ગરમી થઈ શકે છે? (ખ) બાઇબલની કઈ સલાહ આપણને મદદ કરી શકે છે?
૧૯. ભાઈ-બહેન સાથે મુશ્કેલી ઊભી થાય તો તમે શું કરશો?
૨૦. કોઈ મુશ્કેલીનો ઉકેલ લાવવા, શા માટે પહેલા સામેની વ્યક્તિનું ધ્યાનથી સાંભળવું જોઈએ?
૨૧. આ લેખમાંથી તમને યહોવાહની નજરે જોવા કઈ રીતે મદદ મળી છે?
[પાન ૧૮ પર બોક્સ]
યહોવાહની નજરે
યૂના વિષે જે શીખ્યા, એ પરથી તમને નથી લાગતું કે આપણે પ્રચાર કરીએ છીએ, એ લોકોને યહોવાહની નજરે જોવા જોઈએ? ઈસ્રાએલી લોકોની જેમ તેઓ પણ ધનવાન હોય, એશ-આરામથી જીવતા હોય અથવા યહોવાહના સંદેશો જાણવા જ માંગતા ન હોય. પરંતુ, યહોવાહને તેઓ વિષે શું લાગે છે? યૂનાના સમયમાં નીનવેહના રાજાએ દિલથી પસ્તાવો કર્યો. એ જ રીતે, આજે પણ આ જગતના મોટા માણસો બદલાઈ શકે છે, અને યહોવાહના ભક્તો બની શકે છે.—યૂના ૩:૬, ૭.
[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]
તમે દિલ જુઓ છો કે દેખાવ?
[પાન ૧૬, ૧૭ પર ચિત્રનું મથાળું]
ઈસુએ યૂનાનો માછલીનો અનુભવ પોતાને લાગુ પાડ્યો