panitan/stock.adobe.com
ઈસુ ગરીબી મિટાવી દેશે
પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ લોકોને ખૂબ જ પ્રેમ બતાવ્યો. તેમણે ખાસ કરીને એવા લોકોને પ્રેમ બતાવ્યો, જેઓ ગરીબ અને દુઃખી હતા. (માથ્થી ૯:૩૬) એટલે સુધી કે તેમણે લોકો માટે પોતાનો જીવ પણ આપી દીધો. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩) તે જલદી જ ફરીથી પોતાના પ્રેમની સાબિતી આપશે. કઈ રીતે? ઈશ્વરના રાજ્યના રાજા તરીકેના અધિકારથી તે આખી પૃથ્વી પરથી ગરીબી મિટાવી દેશે.
બાઇબલમાં સુંદર શબ્દોમાં લખ્યું છે કે ઈસુ શું કરવાના છે:
“રાજા ગરીબ લોકોનું રક્ષણ કરે, તે ગરીબના દીકરાઓનો બચાવ કરે.”—ગીતશાસ્ત્ર ૭૨:૪.
ઈસુએ આપણા માટે જે કર્યું અને જે કરવાના છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીત છે “ઈશ્વરના રાજ્યની ખુશખબર” વિશે વધારે શીખીએ, જે વિશે ઈસુએ પ્રચાર કર્યો હતો. (લૂક ૪:૪૩) આ વાંચો: “ઈશ્વરનું રાજ્ય શું છે?”