વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 માર્ચ પાન ૩૨
  • ઈસુના બલિદાન પહેલાં લોકોનાં પાપની માફી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુના બલિદાન પહેલાં લોકોનાં પાપની માફી
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • સરખી માહિતી
  • ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈસુના બલિદાન માટે કદર બતાવતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • ખંડણી યહોવાહનાં ન્યાયી ધોરણોને માન આપે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈસુનું બલિદાન કઈ રીતે ‘ઘણા લોકો માટે છુટકારાની કિંમત’ ચૂકવે છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 માર્ચ પાન ૩૨

બાઇબલના શબ્દો

ઈસુના બલિદાન પહેલાં લોકોનાં પાપની માફી

ઈસુએ પોતાનું લોહી વહેવડાવીને છુટકારાની કિંમત ચૂકવી. તેમના એ બલિદાન દ્વારા જ આપણને પાપોની માફી મળી શકે છે. (એફે. ૧:૭) તોપણ બાઇબલમાં લખ્યું છે: “અગાઉના સમયમાં થયેલાં પાપને માફ કરીને [ઈશ્વરે] સહનશીલતા બતાવી.” (રોમ. ૩:૨૫, ફૂટનોટ) “અગાઉના સમયમાં” એટલે કે ઈસુએ બલિદાન આપ્યું એ પહેલાં. યહોવા એવું કઈ રીતે કરી શકતા હતા? શું એમ કરવું તેમનાં ન્યાયનાં ધોરણો પ્રમાણે યોગ્ય હતું?

જે ઘડીએ યહોવાએ વચન આપ્યું કે એક “વંશજ” આવશે જે માણસોને બચાવશે, એ જ ઘડીએ જાણે તેમની નજરમાં બલિદાનની કિંમત ચૂકવાઈ ગઈ હતી. (ઉત. ૩:૧૫; ૨૨:૧૮) યહોવાને પૂરો ભરોસો હતો કે સમય આવ્યે તેમનો એકનો એક દીકરો રાજીખુશીથી પોતાનું બલિદાન આપશે. (ગલા. ૪:૪; હિબ્રૂ. ૧૦:૭-૧૦) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહોવાએ તેમને લોકોનાં પાપ માફ કરવાનો અધિકાર આપ્યો હતો. પણ હજી તેમણે બલિદાન આપ્યું ન હતું. તો તે શેના આધારે પાપ માફ કરી શક્યા? તે જાણતા હતા કે તેમના બલિદાનથી લોકોનાં પાપ માફ કરવામાં આવશે. એટલે તેમના પર શ્રદ્ધા મૂકનાર લોકોનાં પાપ તે માફ કરી શક્યા.—માથ. ૯:૨-૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો