બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧-૩
‘તારાં કાર્યો હું જાણું છું’
“સાત તારા”: પહેલા અભિષિક્ત વડીલોને અને પછી બધા વડીલોને રજૂ કરે છે
ઈસુના “જમણા હાથમાં”: એ તારાઓ પર ઈસુનો કાબૂ છે. તેઓ તેમના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે. ઈસુ જુએ કે વડીલોના જૂથમાંથી કોઈએ સુધારો કરવાની જરૂર છે તો તે શું કરશે? યોગ્ય સમયે અને યોગ્ય રીતે તેમને સુધારો કરવાની તક મળે, એનું ઈસુ ધ્યાન રાખશે
‘સોનાની સાત દીવીઓ’: મંડળો. જેમ મંડપમાં દીવીઓથી અજવાળું ફેલાતું હતું, તેમ મંડળો ઈશ્વર તરફથી મળતું સત્ય ફેલાવે છે. (માથ ૫:૧૪) ઈસુ દીવીઓ “વચ્ચે ચાલે છે,” એટલે કે બધાં મંડળોની પ્રવૃતિ પર દેખરેખ રાખે છે