યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સાચો પ્રેમ કોને કહેવાય?
પુરૂષ અને સ્ત્રી કાયમી બંધનમાં જોડાઈ રહે માટે યહોવાએ લગ્નની ગોઠવણ કરી. (ઉત ૨:૨૨-૨૪) ફક્ત વ્યભિચારના કિસ્સામાં છુટાછેડા લઈ શકાય છે. (માલા ૨:૧૬; માથ ૧૯:૯) યહોવા ઇચ્છે છે કે લગ્નજીવન સુખી બને. દરેક ઈશ્વરભક્ત યોગ્ય જીવનસાથી પસંદ કરી શકે અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકે માટે યહોવાએ મદદરૂપ સૂચનો આપ્યાં છે.—સભા ૫:૪-૬.
શું આ પ્રેમ છે કે આકર્ષણ? વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:
વ્યક્તિએ ક્યારે ડેટિંગ શરૂ કરવી જોઈએ?
આકર્ષણ, દીવાનગી અને સાચા પ્રેમ વચ્ચે શો ફરક છે?
તમે જે વ્યક્તિ સાથે ડેટિંગ કરો છો તેને બદલી શકો છો એવું વિચારવું કેમ યોગ્ય નથી?
નોકરી-ધંધાને વધારે ધ્યાન આપવાથી લગ્નજીવન પર કેવી અસર થઈ શકે?
ભક્તિને લગતી બાબતો પર ધ્યાન આપવાથી કઈ રીતે લગ્નજીવન મજબૂત બને છે?
કોઈને લગ્નનું વચન આપતા પહેલાં એ જાણવું શા માટે જરૂરી છે કે એ વ્યક્તિ ‘અંદરથી’ એટલે કે દિલથી કેવી છે? (૧પી ૩:૪)
સાચો પ્રેમ કોને કહેવાય? (૧કો ૧૩:૪-૮)