મૅગેઝિન આપતા આમ કહી શકીએ
ચોકીબુરજ જાન્યુઆરી ૧
“શા માટે આજકાલ આટલી બધી કુદરતી આફતો આવે છે? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાં પહેલેથી જણાવ્યું છે કે એક સમયે આવી આફતો આવશે જ. એના વિષે શું હું તમને શાસ્ત્રમાંથી વાંચી આપું? [ઘરમાલિકને રસ હોય તો માત્થી ૨૪:૭, ૮ વાંચી આપો.] આ મૅગેઝિન આ સવાલોના જવાબ આપે છે: આજે આટલી બધી કુદરતી આફતો કેમ આવે છે? શું એનાથી ઈશ્વર આપણને સજા કરે છે? ઈશ્વર સર્વ કુદરતી આફતોનો અંત લાવશે એ માનવાના આપણી પાસે કયા કારણો છે?”
સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ
તાજેતરમાં થયેલા કરુણ બનાવની વાત કરો. પછી આમ કહી શકો: “ઈશ્વર કેમ આવી બાબતો ચાલવા દે છે? [જવાબ આપવા દો.] જેઓ એના ભોગ બન્યા છે તેઓ પર ઈશ્વરને ખૂબ દયા આવે છે. એ વિષે શાસ્ત્રમાંથી કંઈક વાંચી આપું? [ઘરમાલિકને રસ હોય તો નિર્ગમન ૩:૭ વાંચી આપો.] શાસ્ત્ર એ પણ જણાવે છે કે ઈશ્વર કેમ દુષ્ટતા ચાલવા દે છે અને જલદી જ તે આ બધી દુષ્ટતાનો અંત લાવશે. એ વિષે આ મૅગેઝિન વધારે સમજાવે છે.”