વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૫/૧૫ પાન ૩૨
  • કાયમનું જીવન પસંદ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કાયમનું જીવન પસંદ કરો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૫/૧૫ પાન ૩૨

કાયમનું જીવન પસંદ કરો

આજે દરેક બાબતોમાં પસંદગીની લાઈન લાગી જતી હોય છે. દાખલા તરીકે, કપડાં, ખોરાક, કામ, ઘર આ બધી જ બાબતની આપણે પસંદગી કરીએ છીએ. અરે ઘણા દેશોમાં તો, પોતાના લગ્‍ન સાથી પણ લોકો જાતે જ પસંદ કરતા હોય છે. પરંતુ, બાઇબલ આ બધાથી એક ચઢિયાતી પસંદગી વિષે બતાવે છે જેનો દરેક વ્યક્તિ લાભ ઊઠાવી શકે છે. એ શું છે?

બાઇબલ કહે છે: “સદાચારીને જીવન મળે છે; દુરાચારીને મોત મળે છે.” (નીતિવચનો ૧૧:૧૯, IBSI) તેમ જ, ઈસુ ખ્રિસ્તે કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

ઉત્પન્‍ન કરનાર પરમેશ્વર યહોવાહે, દરેકને તક આપી છે કે આપણે અત્યારે એવું જીવન જીવીએ, જેનાથી કાયમનું જીવન પસંદ કરી શકીએ! પરંતુ, આ જીવન મેળવવા આપણે શું કરવું જોઈએ?

બાઇબલ કહે છે: “નેકીના માર્ગમાં જીવન છે.” (નીતિવચનો ૧૨:૨૮) આપણે પણ એ નેક વ્યક્તિઓના લીસ્ટમાં આવી શકીએ છીએ. કઈ રીતે? ફક્ત યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવીને અને તેમની આજ્ઞાઓ પાળીને આપણે એ જીવન મેળવી શકીએ છીએ. (માત્થી ૭:૧૩, ૧૪) તેથી, ચાલો આપણે જીવનની સૌથી સારી પસંદગી કરીએ અને યહોવાહે આપેલી ભેટ, કાયમનું જીવન પસંદ કરીએ.—રૂમીઓને પત્ર ૬:૨૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો