ઈસુના છેલ્લા ભોજનનો ખરો અર્થ
આ એકવીસમી સદીમાં આપણને એ છેલ્લા ભોજન સાથે શું સંબંધ છે? જોકે એના વિષે આપણે આજના ખ્રિસ્તીઓને પૂછીશું કે પ્રભુનું ભોજન શું છે? તેઓ કહેશે કે એ તો, ઈસુએ પોતાનું બલિદાન કે કુરબાની આપ્યું એના થોડા કલાકો પહેલાં પોતાના શિષ્યો સાથે સાંજે જે છેલ્લું ભોજન લીધું હતું એ છે. પ્રભુ ઈસુએ પોતે એની શરૂઆત કરી હોવાથી, લોકો એ પ્રસંગને પ્રભુ ભોજન તરીકે ઓળખે છે.
સદીઓથી ઘણા લોકોએ કોઈને કોઈ કારણસર પોતાનો જીવ આપી દીધો છે. તેઓએ પછી ભલેને ગમે તે કારણસર એમ કર્યું હોય. તેમ છતાં, એનાથી ફક્ત અમુક લોકોને જ થોડા સમય માટે લાભ થયો હોય શકે. પરંતુ, ઈસુ ખ્રિસ્તે જે બલિદાન આપ્યું એના જેવું બીજા કોઈએ આપ્યું નથી. તેમના બલિદાનની આખી દુનિયા પર ઊંડી અસર થઈ છે. આપણે કઈ રીતે એમ કહી શકીએ?
એનો જવાબ મેળવતાં પહેલાં ચાલો આપણે એ જાણીએ કે પ્રભુના ભોજનનો શું અર્થ થાય છે.