વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૩/૧૫ પાન ૩
  • એક યાદગાર દિવસ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક યાદગાર દિવસ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સરખી માહિતી
  • ઈસુનો સંદેશો તમને કઈ રીતે અસર કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈસુ શા માટે મરણ પામ્યા?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • “મૂલ્યવાન રક્તથી” આપણો ઉદ્ધાર થયો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ઈસુના છેલ્લા શબ્દોમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૩/૧૫ પાન ૩

એક યાદગાર દિવસ

એદિવસે, શું બન્યું હતું જેના લીધે આપણું જીવન બદલાય ગયું? ‘દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) પણ યહોવાહ પરમેશ્વરે શા માટે પોતાનો એકનો એક દીકરો આપ્યો? બાઇબલ આનો જવાબ આપે છે કે ઈસુ, ‘સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યા છે.’ (માત્થી ૨૦:૨૮) ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ ખંડણી તરીકે આપી દીધો. એટલે કે તેમણે આપણને પાપ અને મરણમાંથી છોડાવવાની કિંમત ચૂકવી. ખરેખર યહોવાહ અને ઈસુનો આપણા માટે કેટલો બધો પ્રેમ!

આ દિવસથી આપણા જીવનમાં આશાનું કિરણ ફેલાયું. એના લીધે જ આપણે સુખી જીવનની આશા રાખી શકીએ છીએ. ઈસુને જે હેતુથી પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા, તે તેમણે એ દિવસે પૂરો કર્યો. એટલે જ, વધસ્થંભે જડાયેલા ઈસુએ છેલ્લો શ્વાસ લેતા કહ્યું: “સંપૂર્ણ થયું.”—યોહાન ૧૯:૩૦.

વળી, એ દિવસે ઈસુએ પોતાના શિષ્યોને એવું કંઈક શીખવ્યું, જે તેઓને જગતનો સામનો કરવા મદદ કરે છે. પોતાના મરણના થોડા કલાકો પહેલાં જ, તેમણે શિષ્યોને એ ખાસ શિક્ષણ આપ્યું. એ શું હતું? એમાંથી આપણે શું શીખી શકીએ? ચાલો આપણે હવે પછીના લેખમાંથી એ વાંચીએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો