એક પુસ્તકે તેઓનું લગ્ન બચાવ્યું.
“મારી આંગળીઓ જુઓ. તમને કંઈક અલગ લાગે છે?” એક માણસે યહોવાહના સાક્ષી બહેનને પોતાનો હાથ બતાવ્યો. બહેને તરત જ માર્ક કર્યું કે હવે તે માણસની આંગળીમાં લગ્નની વીંટી ન હતી. તેણે જણાવ્યું કે તેની પત્ની સાથે તેને લાંબા સમયથી બનતું ન હોવાથી હવે તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. સાક્ષી બહેને કહ્યું, “ના, એમ ન કરશો! આ પુસ્તક લો અને એ શું કહે છે એ વાંચો. એ તમને તમારું લગ્નજીવન બચાવવા મદદ કરશે.” આમ કહીને તેમણે તે માણસને એક બાઇબલ આધારિત પુસ્તક આપ્યું. એ પુસ્તકનું નામ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છેa હતું.
થોડા દિવસો પછી એ માણસ સાક્ષી બહેન પાસે પાછો આવ્યો, આ સમયે એ ઘણો જ ખુશ હતો. તેણે બહેનને પોતાનો હાથ બતાવ્યો, હવે તેના હાથમાં લગ્નની એ જ વીંટી હતી જે પહેલા તેણે કાઢી નાંખી હતી. તે માણસે સાક્ષી બહેનને જણાવ્યું કે તેણે અને તેની પત્નીએ જ્ઞાન પુસ્તક વાંચ્યું હતું અને હવે તેઓ ખૂબ જ ખુશ છે. આમ, પુસ્તકે શાબ્દિક અર્થમાં તેની આંગળીમાં ફરીથી વીંટી પહેરાવી અને તેઓનું લગ્નજીવન બચાવ્યું.
આ પુસ્તકમાંની બાઇબલ સલાહ પતિ-પત્નીને એકબીજા પ્રત્યે સાચો પ્રેમ બતાવવા મદદ કરી શકે. કારણ કે બાઇબલના રચયિતા બીજું કોઈ નહિ પણ આપણા સૃષ્ટિકર્તા છે. જે કહે છે: “તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઈસ્રાએલનો પવિત્ર દેવ એવું કહે છે, કે હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયાહ ૪૮:૧૭.
[ફુટનોટ]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.