શું તમને વધારે જાણવું છે?
આ ચોપડી તમને બાઇબલ સંદેશાની એક ઝલક આપે છે, પણ બધા જ વિષયોની ઊંડી સમજણ આપતી નથી.
કદાચ તમને થશે કે બાઇબલ આ સવાલોનો કેવો જવાબ આપે છે: શું ઈશ્વર સાચે જ મારી સંભાળ રાખે છે? મરણ પછી માણસનું શું થાય છે? સુખી થવા શું કરવું જોઈએ?
આ અને એવા બીજા સવાલોના જવાબ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી તમને મળશે. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. આ પુસ્તકમાં બીજા અનેક વિષયો જોવા મળે છે. પુસ્તક જણાવે છે કે દરેક વિષય પર બાઇબલ શું શીખવે છે. આ પુસ્તક મેળવવા નીચે આપેલી કુપન ભરો. તમને નજીક પડે એવા નીચેના કોઈ પણ સરનામે એ કુપન મોકલી આપો.
www.jw.org/gu પર આ સાહિત્ય વાંચો કે ડાઉનલોડ કરો અથવા બાઇબલમાંથી શીખવા વિનંતી મોકલો. (કોઈ ચાર્જ નથી)