વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g06 ઑક્ટોબર પાન ૨૯
  • તમે જે માનો છો એનાથી શું ફરક પડે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે જે માનો છો એનાથી શું ફરક પડે છે?
  • સજાગ બનો!—૨૦૦૬
  • સરખી માહિતી
  • શું મારે ઉત્ક્રાંતિમાં માનવું જોઈએ?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
સજાગ બનો!—૨૦૦૬
g06 ઑક્ટોબર પાન ૨૯

તમે જે માનો છો એનાથી શું ફરક પડે છે?

શું તમને લાગે છે કે જીવનનો કોઈ હેતુ છે? જો જીવન ઉત્ક્રાંતિથી આવ્યું હોય તો સાયન્ટિફિક અમેરિકન મૅગેઝિને જે કહ્યું એ સાચું કહેવાય: ‘આજે ઉત્ક્રાંતિવાદ શીખવે છે કે જીવનનો કોઈ હેતુ નથી.’ તમને શું લાગે છે?

એનો શું અર્થ થાય એ વિચારો. જો જીવનનો હેતુ ન હોય તો, જીવનનો શું અર્થ? ફક્ત એ જ કે બીજાનું ભલું કરતા રહીએ? પોતાના બાળકોમાં સદ્‍ગુણો ઉતારીએ? કેમ કે મરણ પછી કાંઈ જ બચતું નથી. ફક્ત એટલું જ માનવું કે આપણે આપોઆપ આવી ગયા છીએ અને એક દિવસે મરણ પામીશું. પછી બુદ્ધિ કે વિચારવાની ક્ષમતાનો અંત આવે છે.

એટલું જ પૂરતું નથી. ઉત્ક્રાંતિમાં માનતા લોકો કહે છે કે ઈશ્વર કે કુદરત જેવું કાંઈ જ નથી. જો હોય તોપણ તે ઇન્સાનનું દુઃખ દૂર કરશે નહિ. ભલે તેઓ ગમે એ કહે, એનો એ જ અર્થ થયો કે આપણું ભાવિ નેતાઓ, શિક્ષકો અને ધર્મગુરુઓના હાથમાં જ છે. તેઓએ આજ સુધી સમાજમાં શું કર્યું છે! અશાંતિ, લડાઈ-ઝગડા અને ભ્રષ્ટાચાર ફેલાવ્યા છે. તેમ જ ફેલાવતા રહેશે. જો ઉત્ક્રાંતિ સાચું હોય તો, માણસ માટે આવું વિચારવું જરાય ખોટું નથી, ‘ચાલો આપણે ખાઈએ ને પીઈએ. કેમ કે કાલે તો આપણે મરવાના છીએ.’—૧ કોરીંથી ૧૫:૩૨.

ઉપર જણાવ્યા પ્રમાણે યહોવાહના સાક્ષીઓ એમાં જરાય માનતા નથી. તેઓ ઉત્ક્રાંતિમાં નહિ પણ બાઇબલમાં માને છે. તેઓ માને છે ફક્ત બાઇબલ જ સત્ય શીખવે છે. (યોહાન ૧૭:૧૭) એટલે જ ઇન્સાન આ ધરતી પર કેવી રીતે આવ્યો એ વિષે બાઇબલ જે કહે છે એમાં તેઓને પૂરી શ્રદ્ધા છે. બાઇબલ કહે છે: “જીવનનો ઝરો તારી [ઈશ્વરની] પાસે છે.” (ગીતશાસ્ત્ર ૩૬:૯) એનો શું અર્થ થાય?

એ જ કે આપણા જીવનનો હેતુ છે. ઈશ્વરે આપણને બનાવ્યા એની પાછળ સૌથી મહત્ત્વનું કારણ છે. જેઓ તેમની ઇચ્છા પ્રમાણે જીવશે તેઓને એ હેતુનો ખરો અનુભવ થશે. (સભાશિક્ષક ૧૨:૧૩) એ હેતુ શું છે? ઈશ્વર ચાહે છે કે જેઓ તેમના કહેવા પ્રમાણે ચાલશે તેઓ સ્વર્ગ જેવી દુનિયામાં રહેશે: એ દુનિયામાં લડાઈ-ઝગડા કે ભ્રષ્ટાચાર નહિ હોય. બધે જ શાંતિ હશે. અરે, કોઈ મરણ પણ નહિ પામે. તેઓ સદા જીવશે. (યશાયાહ ૨:૪; ૨૫:૬-૮) આજે યહોવાહના લાખો સાક્ષીઓ તન-મનથી સાચા ઈશ્વરને ભજે છે. તેઓનું માનવું છે કે ઈશ્વરના કહેવા પ્રમાણે જીવવાથી જીવનમાં હેતુ મળશે. એના જેવું જીવનમાં બીજું કંઈ જ નથી!—યોહાન ૧૭:૩.

તો પછી, તમે જે માનો છો એનાથી શું કોઈ ફરક પડે છે? હા, જરૂર પડે છે. એની અસર ખાલી આજે જ નહિ, આપણી આવતીકાલ પર પણ પડે છે. તો હવે તમે શું માનશો? શું પસંદ કરશો? શું તમે ઉત્ક્રાંતિની થીયરીમાં માનશો, જે સમજાવી શકતી નથી કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ છે? કે પછી બાઇબલ જે શીખવે છે એમાં માનશો? બાઇબલ કહે છે કે પૃથ્વી અને સર્વ સજીવો મહાન સર્જનહારની કરામત છે. એટલે કે યહોવાહ ઈશ્વરે બધું જ “ઉત્પન્‍ન” કર્યું છે.—પ્રકટીકરણ ૪:૧૧. (g 9/06)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો